બંધન કયા છે? ( મનમાં )


🍃🙌એક કુંભાર પાસે ત્રણ ગધેડા અને ફક્ત બે દોરડા હતાં.⚱⚱⚱
તેણે એક ડાહ્યા માણસની સલાહ લીધી.
એ માણસે કહ્યું કે, "તું બે ગધેડાને, ત્રીજો ગધેડો જુએ તે રીતે બાંધ અને પછી ત્રીજા ગધેડાને (ખોટે ખોટે) બાંધવાની ફક્ત એક્શન કર, નાટક કર..

કુંભારે એમ જ કર્યું !

નહાઈને, બહાર આવીને જોયું તો, જેને નહોતો બાંધ્યો, ફક્ત બાંધવાનું નાટક જ કર્યું હતું તે ગધેડો પણ જાણે બંધાયને ઉભો હોય એમ નો એમ ઉભો હતો !!!
.
કુંભારે બે ગધેડાઓને છોડયાં અને ચાલવા માંડ્યો પણ, એનાં આશ્ચર્ય વચ્ચે ત્રીજો ગધેડો પોતાનાં સ્થાનેથી હલ્યો પણ નહીં ! ધક્કો માર્યો તો પણ નહીં !

કુંભારે ફરી પેલા ડાહ્યા માણસને પૂછ્યું..

🤔🤔🤔પેલા ડાહ્યા માણસે કહ્યું કે, "શું તે એ ત્રીજા ગધેડાને છોડ્યો ?"

કુંભાર કહે કે, "મેં તેને બાંધ્યો જ નહોતો !!"

ડાહ્યા માણસે કહ્યું કે, "એ તું જાણે છે કે ગધેડો બંધાયેલ નથી પણ, ગધેડો પોતાને બંધાયેલો જ સમજે છે.. તું એને (ખોટે ખોટે) છોડવાનું નાટક કર.."

કુંભારે તેમ જ કર્યું, ને તેના આશ્ચર્ય વચ્ચે હવે ત્રીજો ગધેડો ટેસથી ચાલવા લાગ્યો..

આપણી સાથે પણ એ ત્રીજા ગધેડા જેવું જ બનતું હોય છે..

આપણે (કાલ્પનિક રીતે) આપણી સાવ ખોટી શરમ, સંકોચ, ક્ષોભ અને કુંઠિત મનોવૃત્તિના કાલ્પનિક દોરડાથી બંધાયેલા હોઈએ છીએ..

- મને સંકોચ થાય છે..
- મને શરમ આવે છે..
- મને તક નથી મળતી..
- મને કોઈ સપોર્ટ નથી મળતો..
- મને માર્ગ નથી મળતો..
- મારાથી આ નથી થઈ શકે તેમ..
વગેરે.. વગેરે..

આ બધાં આપણને ફોગટના બાંધી રાખતાં દોરડાઓ છે..

આપણે આપણાં મનમાં જ કાલ્પનિક રીતે ઉભી કરેલી આવી બંધનવૃત્તિ થી છૂટવાની જરૂર છે..

🦅જેને ઉડવું છે - એને આકાશ મળી રહે છે..🌍
🎙જેને ગાવું છે - એને ગીત મળી રહે છે..🎶🎶
જેને ચાલવું છે - એને દિશા મળી જ રહે છે..
So...
🍁THINK POSITIVE ALWAYS
WORK POSITIVE ALWAYS

હાંક મારતો જા.     😘પ્રેમ ના ગીત ગુંનગુણવતો જા..........ઈશ્વરીય મદદ તારી પડખે જ છે.