સુખી જીજીવનની વાતો

હું મંદિરે તો..માત્ર
પ્રાર્થના કરવા જાઉં છું,
ફરિયાદ કરવા તો,
મેં ઘરમાં અરીસો રાખ્યો છે...

કોઈકે કહ્યું. ..
રવિવાર નું નામ બદલીને પરિવાર રાખીએ તો ?
હું કહું છું. ....
જ્યારે પરિવારને આપણી જરૂર હોય ત્યારે રવિવાર રાખીએ તો ?......

લોકો કહે છે પૈસા રાખજો,ખરાબ સમયમાં કામ આવશે...
હું કહું છું સારા લોકો રાખજો, ખરાબ સમય જ નહિ આવે...

જીંદગીની દોડ માં એકાદ વળાંક એવો અચુક આવે છે કે જ્યાં સત્ય અને સમજણ બંને માણસ પાસે હોય છતાં પણ નિણર્ય લઈ શકાતો નથી...!!!